લેખક: ડૉ.આઈ.કે.વીજળીવાળા
પુસ્તકનું નામ: અખેનાતન:2
પાના: 200
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી
અખેનાતન અને નેફરટીટી! આ એવાં નામ છે કે જે મનમાં આવતાં જ છેલ્લાં ઘણાં વરસોથી મને એક ન સમજાય એવી લાગણી અને રોમાંચ થઈ આવે છે. સદીઓથી ચાલ્યા આવતાં અગણિત દેવી-દેવતાઓને ફગાવીને એક ધડાકે એક જ ઈશ્વરની સ્થાપના કરવાની આજથી સાડા-ત્રણ હજાર વરસ પહેલાં પહેલ કરનાર 18મા વંશના એ રાજવીનો જીવનકાળ અનેક સંઘર્ષોથી ભરેલો રહ્યો. અતિ સ્વરૂપવાન પત્ની નેફરટીટીના સાથથી ઇજિપ્તને નવી દિશા, નવી કળા અને નવો ધર્મ આપનાર એ ફેરો ખરેખર જ લોઢાના ચણા ચાવી ગયો હતો. સદીઓથી ઇજિપ્તમાં સર્વેસર્વા રહેલ દેવ આમુનદેવને ફગાવીને આતેનદેવ એટલે કે સૂર્યદેવતાને એકમાત્ર દેવતા તરીકે સ્થાપનાર એ રાજવીના જીવન અંગેનું પુસ્તક આજે વાચકો સમક્ષ રજૂ કરતાં હર્ષ અનુભવું છું. ઇતિહાસને બને તેટલા વફાદાર રહીને એમની જીવનકથા આલેખવાનો મારો આ પ્રયત્ન પ્રથમ ભાગની જેમ જ વાચકોને ગમશે એવી આશા રાખું છું.
ડૉ. આઈ. કે. વીજળીવાળા