ધારો કે ક્યારેક કુદરતને આપણા પર ગુસ્સો આવે અને અચાનક એનામાં એવાં ફેરફારો શરૂ થઈ જાય કે આપણને એક શ્વાસ લેવાના પણ ફાંફાં પડી જાય તો? એ વખતે શું થાય? માનવીની શી હાલત થાય? મોત દરેકના ઘરના દરવાજે દસ્તક દેતું ઊભું રહી જાય તો લાચાર મનુષ્ય શું કરે? પ્રકૃતિને બેહિસાબ નુકસાન પહોંચાડી રહેલો માણસ હજુ પણ સુધરી જાય એવાં સંકેતો કુદરત ઘણાં વખતથી આપી જ રહી છે. માનવી જો હજુ એના પ્રત્યે બેદરકાર રહેશે તો પછી કુદરતના ગુસ્સાનો ભોગ બનતાં એને કોઈ નહીં અટકાવી શકે. આપણે આશા રાખીએ કે માનવી પ્રકૃતિને સાચવે, એના પ્રત્યેની બેદરકારીને ટાળે, એનું જતન કરે અને સમગ્ર માનવજાતને લુપ્ત થતી અટકાવે!
ડૉ. આઈ. કે. વીજળીવાળા