માનવીય ગતિવિધિઓ, સ્વાર્થી રાજકારણીઓની રહેમનજર નીચે ચાલતી ખનનપ્રવૃત્તિઓ, જંગલમાંથી નીકળતા રસ્તાઓ, રેલવે ટ્રેક્સ, ગેરકાયદે લાયન-શો વગેરેથી અકળાઈને કોઈ દિવસ સિંહોમાં ફેરફાર આવ્યો એ દિવસે આપણી ખરાબ દશા થવાની છે. એ વખતે માણસજાત એવા વળાંક પર આવીને ઊભી રહી જશે કે કાં તો માણસ અને કાં તો સિંહ – એ બેમાંથી એક જ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. સિંહોમાં ખરેખર આવો ફેરફાર આવે છે અને પછી શું થાય છે? પ્રોજેક્ટ લાયન શું છે? ચાલો એ જોઈએ અને આશા રાખીએ કે માણસજાત આ વાત જેમ બને તેમ જલદી સમજે અને પોતાના રોજિંદા આચરણમાં મૂકે…
ડૉ. આઈ. કે. વીજળીવાળા