Home/ Detail Info
Back

ABOUT BOOK


‘જુઓ, સમજો અને તમારા આત્માને દૃઢતાપૂર્વક સમજાવી દો કે આ ભૌતિક શરીરનું હવે આ દુનિયામાં કોઈ મૂલ્ય નથી. તે હવે માણસ નથી; તેના પોતાના પરિવારના સભ્યો પણ હવે તેને ફક્ત એક શબ તરીકે ઓળખે છે. જ્યારે કોઈ શરીરને અગ્નિસંસ્કાર કરવામાં આવે છે, ત્યારે તે તરત જ આગમાં બળતું નથી; ઘણા સમય સુધી તે ફૂલતું રહે છે – જાણે કોઈએ તેમાં અંદરથી ગૅસ ભરી દીધો હોય! આ આપણા બધા માટે – તમારા અને મારા માટે – અંતિમ વાસ્તવિકતા છે. અંતે, એક મુઠ્ઠીભર રાખ સિવાય કંઈ બચતું નથી. આ અવશેષ રાખ પછી માતા ગંગાને અર્પણ કરવામાં આવે છે. અને આમ, એક જીવન તેની અંતિમ યાત્રા શરૂ કરે છે, પરલોક તરફ પ્રયાણ કરે છે.’

જ્યારે અઘોરીઓના એક જૂથે નજીકમાં તેમની વિધિઓ કરી હતી ત્યારે તેમની સામે એક ચિતા સળગી રહી હતી. ત્યાં ઊભા રહીને, તે બંને ચિતામાંથી નીકળતી જ્વાળાઓ સામે આશ્ચર્યથી જોતા હતા. તેઓ આશ્ચર્યચકિત થયા કે અઘોરીનું જીવન ખરેખર કેટલું રહસ્યમય છે. મૃતકોની રાખમાં તેમના શરીરને ભેળવીને અને માનવખોપરીના માળાથી શણગારેલા, તેઓ વિચિત્ર, ગુપ્ત વિધિઓમાં ડૂબેલા હતા. છતાં, કોઈને ખરેખર ખબર નથી કે અઘોરી બનવા માટે વ્યક્તિએ કેવી કઠિન આધ્યાત્મિક શિસ્ત-સાધનામાંથી પસાર થવું પડે છે. કોઈને ખ્યાલ નથી કે તેમના અસ્તિત્વનો અંતિમ હેતુ માનવતાની સેવા અને લોકોનું કલ્યાણ કરવાનો છે.

રોમાંચક શૈલીમાં લખાયેલી, આ નવલકથા અઘોરીઓનાં જીવન, આધ્યાત્મિક પ્રથાઓ, રહસ્યમય શક્તિઓ અને અંતિમ મૃત્યુ પાછળના સત્યને ઉજાગર કરે છે. આ કથા તમને અઘોરીવિશ્વના એવાં રસપ્રદ તથ્યો અને પાસાંનો પરિચય કરાવશે, જે તમે જાણતાં જ નથી.

DETAILS


Title
:
Smashanwasi Aghori
Author
:
Suman Bajpayee (સુમન બાજપેયી)
Publication Year
:
2026
Translater
:
Chandresh Makwana
ISBN
:
9789361976025
Pages
:
176
Binding
:
Paperback
Language
:
Gujarati