Home/ Detail Info
Back

ABOUT BOOK


“હું રામનો વિચાર કરું એટલે રામની Consciousness આવી જાય. તે જ વખતે હું કૃષ્ણ અથવા શંકરનો વિચાર કરું એટલે ક્ષણવારમાં જ પાછી તે Consciousness આવી જાય. તે બદલવા માટે પ્રયત્ન નથી કરવો પડતો. સહજ રીતે આપો આપ જ તેમાં આવી જાઉં. તે વખતે મને એમ ન લાગે કે હું જુદો છું. તેઓની સાથે મારું તાદાત્મ્ય સધાય, ઐક્ય આવી જાય અને હું તે જ છું એમ જ મને લાગે.”

l “સમય પાકે એટલે ગુરુ આપોઆપ મળી આવે છે. ગુરુને શોધવો પડતો નથી.”

l “આ યુગ છે સાયન્સનો, પરંતુ માણસોને ખ્યાલ તો આવે કે ભગવાનની ચેતના છે, ભગવત્‌તત્ત્વ છે, સક્રિય છે. એ કોઈ કલ્પનાનો વિષય નથી. જો ભગવાન અનુગ્રહ કરે તો અનુભવ થાય.

l “ભગવાન બુદ્ધિથી પકડાતો નથી, કોઈ વ્યાખ્યાના બાંધમાં આવતો નથી. ભગવાન માટેની કોઈપણ વ્યાખ્યા અધૂરી છે. બુદ્ધિ ફક્ત આપણી દોરવણી પૂરતી છે. દરેક બાબતમાં રિઝનિંગ કર્યું તો ભગવદ્પ્રાપ્તિ થવી મુશ્કેલ છે.”

l “કોઈ સર્વજ્ઞ હોય, સર્વવ્યાપી હોય અને સર્વશક્તિમાન હોય – આ ત્રણેય શક્તિ હોય તો સમજવું કે Divinity છે, કોઈ Spirit નથી.”


– પૂ. ભાઈ (નાથાલાલ જોશી)

DETAILS


Title
:
Virat Chetnana Pradeshma
Author
:
Ravjibhai Patel (રાવજીભાઈ પટેલ)
Publication Year
:
2025
Translater
:
-
ISBN
:
9789361972751
Pages
:
272
Binding
:
Paperback
Language
:
Gujarati